મિલ્કતવેરા વળતર યોજના: ત્રણ કલાકમાં ૬૨૩૪ કરદાતાઓએ રૂ.ત્રણ કરોડ ચુકવ્યા

  • April 09, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સવારે ખુલતી કચેરીએ મિલ્કતવેરા વળતર યોજના અમલી કરાતાની સાથે જ મિલ્કતધારકોએ વેરો ભરવા ધસારો કર્યો હતો અને પ્રથમ ત્રણ કલાકમાં જ રૂ.ત્રણ કરોડની માતબર વેરા વસુલાત થઇ હતી. પ્રથમ ત્રણ કલાકમાં ૬૨૩૪ કરદાતાએ વેરો ચુકતે કર્યો હતો જેમાં ૭૫ ટકા મતલબ કે ૪૬૩૪એ ઓનલાઇન વેરો ભરપાઇ કર્યો હતો.

વિશેષમાં ટેક્સ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુકએ જણાવ્યું હતું કે, તા.૩૧ મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા ઉપર ચાલુ વર્ષના માંગણા પર ૧૦ ટકા વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે. ઉપરોકત વળતર ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ એક ટકા વળતર આપવામાં આવશે.તદઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા વળતર આપવામાં આવશે. જ્યારે ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે. વહેલી તકે એડવાન્સ વેરો ભરપાઇ કરી યોજનાનો લાભ લેવા તેમણે કરદાતાઓને અપીલ કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે તા.૧ જુનથી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા ઉપર પાંચ ટકા વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ એક ટકા આપવામાં આવશે. સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા આપવામાં આવશે. જ્યારે ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે.


કરદાતાઓને બેસવા માટે ખુરશી અને પીવાના પાણીની સુવિધાનો અભાવ

રાજકોટ મહાપાલિકાની ત્રણેય ઝોન ઓફિસની ટેક્સ બ્રાન્ચ (સિવિક સેન્ટર), તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસો, સિવિક સેન્ટર વિગેરે સ્થળે પ્રામાણિક કરદાતાઓ એડવાન્સ વેરો ભરવા ઉમટે છે પરંતુ તેમને બેસવા માટે પૂરતી ખુરશીઓ ન હોય તેમજ ધોમધખતા તાપમાં વેરો ભરવા આવતા નાગરિકો માટે પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોય કરદાતાઓ હાલાકી ભોગવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application