છોકરા અને છોકરીઓ વચ્ચે વધતી જતી અસમાનતાના પગલે અનેક યોગ્ય યુવકો લગ્નથી વંચિત રહી જાય છે. વિવિધ સમુદાયો અને જાતિઓમાં વહેંચાયેલા ભારત દેશના તમામ માનવ સમૂહો ઓછાવત્તા પ્રમાણમાં આ વિષમ સામાજિક પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. આવા સમયે એક મહારાષ્ટ્રના ચુંટણી પ્રચારમાં એક નેતાએ અપરણીત યુવકોને લગ્ન કરાવી આપવાનું વચન આપતા આશ્ચર્ય સર્જાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ રાજયના બીડ જિલ્લાના પરલીથી ચુંટણી લડતા રાજેસાહેબ દેશમુખને ચુંટણી પ્રચાર દરમિયાન કેટલાક ગામોમાં લાયક મુરતિયાને ક્ધયા ના મળતી હોવાની લોકોએ સમસ્યા જણાવી હતી. આ અંગે જો લોકો જીતાડશે તો યુવકોને પત્ની પણ લાવી આપવામાં આવશે એવું નિવેદન કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો વિધાયક બનીશ તો કુંવારાનો વિવાહ કરાવીશ. યુવાઓને રોજગાર પણ આપીશ. બીજા પણ કેટલાક ચુંટણી વચનો આપે છે પરંતુ નેતાએ કુંવારાના લગ્નનું વચન એટલે કે દુલ્હન લાવી આપવાની વાતથી રમૂજ ફેલાઇ છે.
પરલી વિધાનસભામાં વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં કૃષિમંત્રી ધનંજય મુંડે ચુંટણી લડી રહયા છે. તેમના પ્રતિ સ્પર્ધી તરીકે દેશમુખ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.સામાન્ય રીતે ચુંટણી દરમિયાન વચનોની લ્હાણી થતી હોય છે. કેટલાક પુરા પણ કરવામાં આવતા હોય છે અને કેટલાકને જુમલો ગણીને ઉપહાસ કરવામાં આવતો હોય છે. યુવકોને લગ્ન માટે ક્ધયા લાવી આપવાનું નિવેદન સાવ જુદા જ પ્રકારનું છે.
ઘણા નેતાઓને અપરણીત યુવાઓ અંગે રજૂઆત થતી હોય છે એ સમયે ઉમેદવારો મૌન થઇ જતા હોય છે કારણ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં દરેકની સામાજિક પરિસ્થિતિ જુદી જુદી હોય છે આવા સંજોગોમાં તેમની પાસે સમસ્યા સાંભળવા ઉપરાંત બીજો કોઇ ઉપાય હોતો નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહયા છે પરંતુ આવું વચન અગાઉ કોઇ નેતાએ કદાંચ આપ્યું નહી હોય એવી સોશિયલ મીડિયામાં ચચર્િ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech