રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેનું કામ ચાલુ છે. આ રોડ પર ખાસ કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતાં લાખો વાહનચાલકોને સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા ચોટીલા ડુંગર પાસે નીકળતાં આ હાઇવે પાસે નડે છે. હવે આ રસ્તો માત્ર ચોટીલા જવા માટે રહેશે અને રાજકોટથી સીધા અમદાવાદ કે અમદાવાદથી સીધા રાજકોટ જવા ઇચ્છતા વાહનો માટે આટલી જ સાઇઝનો નવો હાઇવે ચોટીલાને બાસપાય કરીને બનાવવા પ્રક્રિયા શરુ થઈ છે.
નવો 7 કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે
મળતી માહિતી અનુસાર, રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિમી લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે.
ચોટીલા ડુંગરે દર પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. તેમજ દર રવિવાર અને તહેવારોમાં પણ ભક્તોની મેદની ઉમટી પડે છે. જેના કારણે રોજ ટ્રાફિકજામ થાય છે. આ રોડના કામ માટે જો કે હજુ સરકારમાંથી મંજૂરી મગાઈ છે અને મંજૂરી બાદ તેની કામગીરી આગળ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech