રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અને નિવૃત્ત આઈએએસ અધિકારી રાજ ગોપાલના પિતાશ્રી ચંદન ગોપાલનું ૯૫ વર્ષની વયે શુક્રવાર, ૨૮ ઓગસ્ટના રોજ દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ સમાચારથી તેમના સ્નેહીજનો અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
સદગત ચંદન ગોપાલના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા (બેસણું) સોમવાર, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે. બેસણાનું સ્થળ સ્વસ્તિક હોલ, રિલાયન્સ સ્માર્ટની સામે, ડ્રાઇવ-ઇન સિનેમા પાસે, અમદાવાદ રાખવામાં આવ્યું છે.
આ શોકની ઘડીમાં તેમના સંતાનો રાકેશ, રાજેશ, રાજીવ, રાજ ગોપાલ (રિટા. IAS) સહિત સમગ્ર ગોપાલ પરિવારે સદગતને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.