વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પહેલા પાણીની વ્યવસ્થાવાળા ખેડૂતો દ્રારા આગોતરી મગફળીની વાવણી કરવામાં આવેલ હતી, પરંતુ ચોમાસું બેસી ગયાને પંદરેક દિવસનો સમય થવા છતાં વરસાદ ન વરસતા આગોતરી મગફળીની વાવણી કરવામાં આવેલ તે ખેતરોમાં મગફળી ઉગી ગયેલ પરંતુ તેને વરસાદની ખાસ જરૂરત હતી અને વધુ વરસાદ ખેંચાય તો આ મગફળીના નાના છોડ મુરઝાઈ રહેલ હતા તે સમયે આ વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં મુરઝાતી મોલાતને જીવનદાન મળેલ અને ખેડૂતોમાં પણ આનદં જોવા મળેલ હતો