રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. ખાલી સ્લીપર બસમાં 16 વર્ષની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હોવાનું જાણવા મળે છે. પોલીસે સામૂહિક બળાત્કારના આરોપી બસ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી છે.પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે અને 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની તેના પરિવારથી નારાજ થઈને તેમને જાણ કર્યા વિના જ નોઈડામાં તેના પિતરાઈ ભાઈ પાસે જઈ રહી હતી. ભારે વરસાદ અને અંધારાને કારણે, વિદ્યાર્થીની આકસ્મિક રીતે પરી ચોક પર ઉતરી ગઈ. એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ.
વિદ્યાર્થીએ બસને રોકવાનો સંકેત આપ્યો, જે પછી બસ ઉભી રહી ગઈ, ડ્રાઈવર અને કંડક્ટરે તેણીને બસમાં ચઢાવી, અને કહ્યું કે તેઓ નોઈડા સેક્ટર 63 જઈ રહ્યા છે. એવો આરોપ છે કે બસ શરૂ થયાના થોડા સમય પછી, કંડક્ટરે પીડિતા પર અભદ્ર વર્તન કરવાનું શરૂ કર્યું. પીડિતાના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર અને કંડક્ટરે ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો અને જો તેણી પ્રતિકાર કરશે તો તેણીને મારી નાખવાની ધમકી આપી. આરોપીઓએ મોડી રાત્રે કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર તેણીને છોડી દીધી અને ભાગી ગયા
ગભરાયેલી વિદ્યાર્થીનીએ કાશ્મીરી ગેટ પોલીસનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણ કરી. પોલીસે તિમારપુરમાં બસ પાર્કિંગમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ઘટનામાં વપરાયેલી સ્લીપર બસ કબજે કરી છે અને ફોરેન્સિક તપાસ કરી રહી છે.
47 કિલોમીટરની મુસાફરી દરમિયાન આ ક્રૂરતા આચરાઈ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ ખરાબ થયા પછી, આરોપીઓ તેને સમારકામ માટે સૂરજપુરના એક વર્કશોપમાં લઈ ગયા. સમારકામ પછી, ડ્રાઈવર અને કંડક્ટર ખાલી બસ લઈને તિમારપુર જઈ રહ્યા હતા. તેઓ પરી ચોક પર વિદ્યાર્થીને મળ્યા. બસ પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી લગભગ 47 કિલોમીટર દૂર ગઈ. બસ સ્લીપર હતી અને તેમાં પડદા હતા, તેથી કોઈ પણ પસાર થતા લોકો અંદર જોઈ શકતા ન હતા. નોંધનીય છે કે થોડા મહિના પહેલા, દિલ્હીના ભજનપુરામાં 6 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો.અગાઉ નિર્ભયા કાંડ પણ દિલ્હીમાં જ બન્યો હતો જેમાં યુવતીનું મોત નીપજ્યું હતું.