BREAKING NEWS

સૂર્ય નમસ્કાર: આજના દોડધામભર્યા જીવનમાં ફિટ રહેવાની ૧૦ મિનિટની જાદુઈ ચાવી

  • May 22, 2026 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરરોજ ૧૦ મિનિટ સૂર્ય નમસ્કાર કરવાથી શું થશે?
પગના અંગૂઠાથી લઈને માથા સુધીના દરેક સ્નાયુઓ ખેંચાય છે, જેનાથી શરીર લવચીક બને છે.
૧૦ મિનિટ સવારે ઝડપી ગતિએ સૂર્ય નમસ્કાર કરવાથી લગભગ ૧૩૫ થી ૧૪૦ કેલરી બર્ન થાય છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
પેટના અંગો પર દબાણ આવવાથી ગેસ, કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ દૂર થાય છે.
સૂર્ય નમસ્કારથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) વધે છે, જેથી ચહેરા પર ગ્લો આવે છે અને વાળ ખરતા અટકે છે.
સવારના સમયે કરવાથી મગજ શાંત થાય છે, તણાવ અને ચિંતા (Anxiety) દૂર થાય છે અને આખો દિવસ શરીર ઉર્જાથી ભરેલું રહે છે.
સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત  
સૂર્ય નમસ્કારમાં ૧૨ આસનો ક્રમબદ્ધ રીતે કરવામાં આવે છે. 
આ કરતી વખતે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા (Breathing Pattern) સૌથી મહત્વની છે:
પ્રણામાસન 
સીધા ઊભા રહો, બંને હાથને છાતી પાસે લાવી નમસ્કાર મુદ્રા બનાવો. (સામાન્ય શ્વાસ)
હસ્તઉત્તાનાસન 
શ્વાસ લેતા લેતા બંને હાથ ઉપર લઈ જાઓ અને શરીરને પાછળની તરફ વાળો.
પાદહસ્તાસન 
શ્વાસ છોડતા આગળ નમો અને હાથને જમીન પર પગની બાજુમાં રાખો (ઘૂંટણ સીધા રાખો).
અશ્વ સંચાલનાસન 
શ્વાસ લેતા જમણા પગને પાછળ લઈ જાઓ, ડાબો પગ ઘૂંટણથી વાળો અને નજર આકાશ તરફ રાખો.
દંડાસન 
શ્વાસ છોડતા ડાબા પગને પણ પાછળ લઈ જાઓ અને આખું શરીર એક સીધી રેખામાં (પ્લેન્ક પોઝિશન) રાખો.
અષ્ટાંગ નમસ્કાર 
શ્વાસ રોકી રાખીને ઘૂંટણ, છાતી અને રામરામ (Chins) ને જમીન પર અડાડો (પેટ જમીનથી અધ્ધર રહેશે).
ભુજંગાસન 
શ્વાસ લેતા શરીરના આગળના ભાગને (છાતી સુધી) ઉપર તરફ ઉઠાવો અને પાછળ નમો.
અધોમુખ શ્વાનાસન 
શ્વાસ છોડતા નિતંબને ઉપર ઉઠાવો અને ઉંધા 'V' આકારમાં આવો. એડી જમીન પર અડાડવાનો પ્રયત્ન કરો.
અશ્વ સંચાલનાસન 
શ્વાસ લેતા જમણા પગને આગળ બંને હાથની વચ્ચે લાવો (સ્ટેપ ૪ ની જેમ, પણ પગ બદલાશે).
પાદહસ્તાસન 
શ્વાસ છોડતા ડાબા પગને પણ આગળ લાવો અને માથું ઘૂંટણ તરફ નમાવો.
હસ્તઉત્તાનાસન 
શ્વાસ લેતા ફરીથી હાથ ઉપર કરી પાછળ તરફ નમો (સ્ટેપ ૨ ની જેમ).
પ્રણામાસન 
શ્વાસ છોડતા સીધા ઊભા રહો અને નમસ્કાર મુદ્રામાં પાછા આવો 
પહેલા દિવસે માત્ર ૨ થી ૪ રાઉન્ડ ધીમી ગતિએ કરો. ધીમે-ધીમે ક્ષમતા વધારીને ૧૦ મિનિટમાં ૧૦ થી ૧૨ રાઉન્ડ સુધી પહોંચો.
આ અભ્યાસ હંમેશા સવારે ખાલી પેટ અને સ્વચ્છ હવામાં કરવો સૌથી ઉત્તમ છે.
સાવધાની
જો તમને કમરનો સખત દુખાવો, હર્નિયા, હાઈ બ્લડ પ્રેશર હોય અથવા ગર્ભાવસ્થા હોય,તો નિષ્ણાતની સલાહ વગર આ આસન ન કરવું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application