ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: રાજ્યપાલે આહવાન કર્યું
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: રાજ્યપાલે આહવાન કર્યું
August 03, 2026 07:11 PM
ગુજરાતના રાજ્યપાલ દ્વારા વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંગેની અધિકૃત માહિતી આપતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, રાજ્યપાલ તરફથી સત્ર બોલાવવાની મંજૂરી મળી ગઈ છે, જેના પગલે આગામી ચોમાસું સત્ર યોજવા માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
આગામી ચોમાસું સત્ર તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ ટૂંકા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહત્વના વિધેયકો (બિલ) ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રજાકીય પ્રશ્નો, રાજ્યની વર્તમાન સ્થિતિ અને જનહિતના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે.