પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવી તેની સામે ખરાબ કામ કરનાર શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હોવાથી તે જેલહવાલે હતો અને જેલમાંથી છૂટીને આવ્યા બાદ સગીરાના ઘરે પથ્થરના ઘા કરીને ‘કેસમાં સમાધાન નહી કરે તો મારી નાખીશ’ તેવી ધમકી આપતા અને અન્ય એક ઇસમ મારફતે ફોનમાં ધમકી અપાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરની એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સાત મહિના પહેલા તેની સગીરવયની દીકરીને ખાપટની માતિ ઓઇલમીલ પાસે રહેતા ભરત માલદે કેશવાલાએ લલચાવી ફોસલાવી ભગાડી જઇને ખરાબ કામ કર્યુ હતુ જેથી સગીરાની માતાએ જેતે સમયે આ ભરત કેશવાલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને થોડા દિવસો પહેલા ભરત જેલમાંથી છૂટીને આવ્યો હતો. તા.૬-૧૦ના રાત્રે બે વાગ્યે ભરત માલદે કેશવાલા અને તેનો એક મિત્ર કે જેનુ નામ ફરિયાદીને આવડતુ નથી એ બન્ને શખ્શોએ મહિલાના ઘરે જઇને તેની ડેલીમાં પથ્થરના છૂટા ઘા કર્યા હતા અને ભરતે તેને કેસમાં સમાધાન નહી કરે તો ઘરના બધા સભ્યોને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી તથા આ મહિલા તથા તેના પરિવારજનોને ગાળો આપી હતી અને ભરતના મિત્ર એ મોબાઇલ ફોન પર સગીરાની માતાને ફોન કરીને કેસમાં સમાધાન કરવા માટે ધમકી આપી હતી. તેથી અંતે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુન્હો દાખલ થતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech