જૂનાગઢ રેલવે સ્ટેશનનનું ૨૩૨ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરીનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત યોજાશે. વેરાવળ અને ચોરવાડ રેલવે સ્ટેશન, માળીયાહાટીના અને કેશોદ અંડર બ્રિજનું આંગળીના ટેરવે લોકાર્પણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ૨૬ તરીકે સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર હોય ત્યારે પ્રવાસ દરમિયાન એકી સો વિવિધ રાજ્યોના રેલ્વે સ્ટેશનનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ની કામગીરી કરવામાં આવશે .જે અંતર્ગત ૨૩૨ કરોડના ખર્ચે જુનાગઢ રેલવે સ્ટેશનની આધુનિકીકરણની કામગીરી નો આંગળીના ટેરવે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ કરવામાં આવશે નવનિર્મિત નાર જુનાગઢ રેલવે સ્ટેશનમાં ત્રણ માળનું અધ્યતન બિલ્ડીંગ, લિફ્ટ, કોન્ફરન્સ હોલ, વેઇટિંગ રૂમ, રેમ્પ ઓટોમેટીક સીડી, સીસીટીવી કેમેરા, સહિતના વિવિધ પ્રકલ્પો દ્વારા નવા રંગ રૂપ કરવામાં આવશે આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર સહિતના આગેવાનો ઉપસ્તિ રહેશે.
વડાપ્રધાનના વર્ચ્યુલી કાર્યક્રમ અંતર્ગત ૧૦ કરોડના ખર્ચે તૈયાર યેલ વેરાવળ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ૯ કરોડના ખર્ચે નવનિર્મિત ચોરવાડ રેલવે સ્ટેશન નું લોકાર્પણ તા માળીયાહાટીના ખાતે ૨ કરોડના ખર્ચે બનાવેલ અંડરપાસ, કેશોદ નજીક આવેલ અંડરબ્રિજ ને પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુલી લોકાર્પણ કરશે.
જુનાગઢ જિલ્લ ામાં વડાપ્રધાનના વર્ચ્યુલી કાર્યક્રમને લઈ રેલવે સ્ટેશન ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ અને ૧૨ વાગે રેલવે સ્ટેશનના લોકાર્પણ ખાતમુહૂર્ત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech