BREAKING NEWS

ન્યાયતંત્રમાં ભ્રષ્ટ્રાચાર છે જ, જજ 'પવિત્ર ગાય' નથી

  • May 28, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મદ્રાસ હાઇકોર્ટે તમિલ ફિલ્મ પર પ્રતિબધં મૂકવાની અરજી ફગાવી દેતી વખતે ન્યાયતત્રં વિશે ખૂબ જ મજબૂત, સચોટ અને સ્પષ્ટ્ર ટિપ્પણીઓ કરી છે. મદ્રાસ હાઇકોર્ટે સ્વીકાયુ કે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટ્રાચાર અસ્તિત્વમાં છે અને ન્યાયાધીશો સાથે પવિત્ર ગાય જેવો વ્યવહાર ન કરવો જોઈએ. તેઓ પણ ભ્રષ્ટ્ર હોય જ છે. જસ્ટિસ જી.આર.ની બેન્ચે સ્વામીનાથન અને વી. લમીનારાયણને જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટ્રાચાર અસ્તિત્વમાં છે તેનો કોઈ ઇનકાર કરી શકે નહીં. ભ્રષ્ટ્ર ન્યાયાધીશો ભૂતકાળમાં પણ હતા અને આજે પણ છે. આપણે ન્યાયિક ભ્રષ્ટ્રાચારના કિસ્સાઓથી વાકેફ છીએ અને જોયા છે. આવા ભ્રષ્ટ્ર ન્યાયાધીશોને હાઈકોર્ટની પૂર્ણ અદાલત દ્રારા નિયમિતપણે દૂર કરવામાં આવે છે.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ભ્રષ્ટ્રાચાર ઘણીવાર બાર (વકીલોની સંસ્થા) ના સભ્યો દ્રારા કરવામાં આવે છે, અને હાઈકોર્ટ હંમેશા ભ્રષ્ટ્ર વ્યકિતઓને ઓળખવા અને પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવા માટે નજીકથી નજર રાખે છે. ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથન અને વી. લમીનારાયણનની બેન્ચે કહ્યું, યાં સુધી બારના કેટલાક સભ્યો ભ્રષ્ટ્ર વ્યકિતઓ સાથે સાંઠગાંઠ ન કરે ત્યાં સુધી ન્યાયતંત્રમાં ભ્રષ્ટ્રાચાર થઈ શકતો નથી. હાઈકોર્ટની કડક દેખરેખ એ પ્રાથમિક માધ્યમ છે જેના દ્રારા ભ્રષ્ટ્ર વ્યકિતઓને પકડવામાં આવે છે અને પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવામાં આવે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયાધીશો સાથે 'પવિત્ર ગાય' જેવો વ્યવહાર ન કરવો જોઈએ. ન્યાય કોઈ છુપાયેલી વસ્તુ નથી; તેને ચકાસણીનો સામનો કરવાની અને જનતાની ટિપ્પણીઓનો આદર કરવાની મંજૂરી આપવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News