શિયાળાની ઠંડી શ થતા જ સોરઠની ધરતીમાં સળવળાટ શ થયો છે. એક સાહમાં જ તાલાળામાં બે અને ઉના આસપાસના વિસ્તારમાં એક મળી ત્રણ ભૂકંપના આચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયા છે. જોકે ભૂકંપથી કોઈ નુકસાની કે લોકોને અસર થઈ નથી પરંતુ ૨૬ જાન્યુઆરી પૂર્વે ફરીથી ભૂકંપના આંચકાઓ શ થતા સોરઠની ધરતીમાં ફરીથી સળવળાટ શ થયો છે.
ગાંધીનગર સિસ્મોલજી સેન્ટરમાં એક સાહમાં નોંધાયેલા ત્રણ ભૂકંપના આંચકાઓમાં તારીખ ૧ જાન્યુઆરીએ રાત્રે ૮–૩૯ મિનિટે તાલાળામાં ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું એપી સેન્ટર તાલાળાથી ૧૫ કિલોમીટર દૂર રહ્યું હતું. તા.૩જાન્યુઆરીએ બપોરે ૪–૧૬ વાગે તાલાળામાં જ ૨.૫ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું એપી સેન્ટર તાલાળા થી ત્રણ કિલોમીટર દૂર જમીનની ૧૮.૭ કિલોમીટરની ઐંડાઈએ હતું. તા.૭ જાન્યુઆરીના બપોરે ૩–૨૭ મિનિટે ઉનામાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું એપી સેન્ટર ઉનાથી ૨૦ કિલોમીટર દૂર જમીનની ૫.૬ કિલોમીટરની ઐંડાઈએ રહ્યું હતું. એક સાહમાં એકાંતરા ત્રણ ભૂકંપના આંચકા નોંધાયા છે પરંતુ લોકોને સામાન્ય આંચકા હોવાથી જાણ થઈ ન હતી. પરંતુ ફરીથી પેટાળમાં સળવળાટ શ થતા તપાસનો વિષય બની ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech