પ્રભાસપાટણમાં ત્રણ પોલીસ જવાનોને નિવૃત્તિ વિદાયમાન અપાયું
સોમનાથ–પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ જવાનો વયમર્યાદા કારણે નિવૃત્ત થતા તેઓને પોલીસ સ્ટાફ તરફથી પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં સન્માનજનક વિદાય સમારભં યોજાયો વયમર્યાદા નિવૃત થનારાઓમાં બાબુભાઈ લખમણભાઇ કરમટા, ફુલાભાઈ રત્ના ડામોર, મોહનભાઈ વાઢેર તમામને સ્ટાફ તરફથી સાકરપડો, શ્રીફળ અને સ્મૃતિચિન્હ, ફુલહાર સાથે વિદાય આપવામાં આવી સમારભં પ્રભાસપાટણ પીઆઈ વી.બી .પિઠીયા, પીએસઆઇ સોલંકી, વડાલીયા, રાઠોડ, બામરોટીયા અને જોરા સહિત પ્રભાસપાટણ પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને તેઓની દીધેલ સેવાઓને બિરદાવી નિવૃત્તિ જીવન દીર્ધઆયુષ્ય, સફળ અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી