રણજીતનગર પટેલ સમાજની માલવાહક લીફટમાં બનેલો બનાવ : પરિવારમાં ભારે ગમગીની : ફાયર બ્રિગેડન ટીમે ભારે જહેમત બાદ તણને બહાર કાઢયો
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલ પટેલ સમાજમાં ગઇકાલે એક પ્રસંગમાં કેટરર્સનો સામાન લીફટમાં હેરફેર કરવામાં આવી રહયો હતો એ દરમ્યાન કેટરર્સમાં કામ કરતા એક તરૂણનું લીફટમાં ફસાઇ જવાથી કરૂણ મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા તાકીદે ટુકડી પહોંચી હતી અને ભારે જહમેત બાદ તરૂણને બહાર કઢાયો હતો, જો કે મૃત્યુને ભેટયાનું સામે આવતા પરિવારજનોમાં માતમ છવાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના બેડી ગામમાં રહેતા તૌસીબ અહેમદભાઇ મકવાણા (ઉ.વ.13) નામનો તરૂણ ગઇકાલે કેટરર્સનું કામ કરવા માટે રણજીતનગરમાં પટેલ સમાજે ગયો હતો, જયાં સાંજના સુમારે એક પ્રસંગ હતો અને સમાજના રસોડાની પાસે આવેલી માલસામાન ચડાવવાની ખુલ્લી લીફટમાં તૌસીબ સામાન હેરફેર કરવા માટે બીજા માળેથી ત્રીજા માળે કેટરીંગનો સામાન ચડાવતી વેળાએ અકસ્માતે લીફટમાં ફસાઇ જવાથી માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે બેડીમાં રહેતા અબ્બાસ હુશેનભાઇ મકવાણાએ ગઇ મોડી સાંજે સીટી-એ ડીવીઝનમાં જાણ કરી હતી, જેના આધારે પીએસઆઇ જાડેજા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં મળેલી વિગત મુજબ પટેલ સમાજમાં ગઇ સાંજે એક પ્રસંગ હતો જેમાં કેટરીંગનું કામ ચાલી રહયુ હતું, મૃતક તરૂણ તૌસીબ મકવાણા કેટરીંગમાં સર્વિસ બોય તરીકે કામ કરતો હતો અને બનાવ બન્યો હતો, લીફટમાં ફસાઇ ગયાનું બહાર આવતા તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તુરંત ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી, ભારે જહેમત બાદ તરૂણને બહાર કાઢયો હતો, જો કે તેનું મૃત્યુ થયાનું બહાર આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ હત, જાળી અને એન્ગલ વચ્ચે ફસાઇ જવાથી ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું. જેથી ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:સૈનિક સ્કૂલ બાલાચડીમાં બે છાત્રાની જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો
May 14, 2024 02:04 PMસફળતા : હવે નદીમાં વહેતા અદ્રશ્ય પ્લાસ્ટિક શોધવું થયું સરળ, વૈજ્ઞાનિકોએ શોધી નવી પદ્ધતિ
May 14, 2024 01:48 PMજામનગર શહેરમાં તા.૩૧ મે પહેલા પ્રિ-મોનસુન કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે
May 14, 2024 01:39 PMરણજીતસાગરમાં પંજુપીર નામે અવેધ મજાર હટાવવામાં લાજ કોની?- હિંદુ સેના
May 14, 2024 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech