ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા સૌરાષ્ટ્ર્રના ૧૨ સહિત ૨૬ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ–૨ ની બદલીઓ કરવામાં આવી છે. આમાં નવ અધિકારીઓને સૌરાષ્ટ્ર્રમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાઈ રહેલી પરીક્ષાઓ સોમવારથી પૂરી થઈ રહી છે અને ત્યાં સરકારે બદલીના હુકમો કર્યા છે.
સૌરાષ્ટ્ર્રના જે બાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ધોરાજીના કાજલ જાની પાલીતાણાના ડી.ડી.રામાનુજ ભુજના હસુમતીબેન પરમાર રાજુલાના હીનાબેન વસંતભાઈ ચાવ અંજારના જી જે અઘેરા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના એચ. આર. હડિયા તળાજાના માધવસિંહ પરમાર સાવરકુંડલાના એસ.પી.ડાંગર મોરબીના દિનેશભાઈ ગરચર કોડીનારના મનીષભાઈ વન્ડા, લાઠીના અતુલભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર્રમાં જે નવ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે તેમાં કાજલ જાનીને જેતપુર મુકયા છે. ડી.ડી.રામાનુજને જસદણમાં પોસ્ટિંગ અપાયું છે. મીનાબેન વસંતભાઈને બગસરામાં, જી.જે.અઘેરાને ગારીયાધાર, દિનેશભાઈ ગરચરને જોડિયા મનીષ નાનાલાલને વીંછીયા અજય જોશીને સિહોર અતુલ મકવાણાને તળાજા મૂકવામાં આવ્યા છે.
આ તમામ પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ–૨ સંવર્ગના અધિકારીઓની બદલી જાહેર હિતમાં કરવામાં આવી હોવાનું હત્પકમમાં જણાવ્યું છે અને બદલી થઈ છે તે તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી તેની અમલવારી કરવાની રહેશે તેવો હુકમ પણ શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે. વી. પટેલ દ્રારા કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech