જામનગરમાં બેડેશ્વર , એરીયામાં પૃથ્વી કન્સ્ટ્રકશનના નામથી ધંધો કરતા મનોજિસંહ મોતિભા કછુઆ એ પોતાનું વાહન નં . જીજે - ૧૦ - એકસ -૮૯૫૫ ઉપર શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ માંથી લોન મેળવેલ જે લોનની ચુકવણી કરવા મનોજસિંહ એ એકસીસ બેન્ક લી . ના બે ચેકો કુલ રૂા . ૭,૨૯,૧૬૭ ના મુદતે પાસ થઇ જવાના વિશ્વાસે આપેલ જે ચેકો આરોપી મનોસંહ મોતિભાના બેન્ક ખાતામાં પુરતી બેલેન્સ નહી હોવાથી બાઉન્સ થયાં હતાં જેથી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સે તેના વકીલ મારફત નોટીસ આપી ચેક બાઉન્સ થવા અંગે જાણ કરી હતી . તેમ છતા મનોજસિંહ મોતિભા દ્વારા લોનની રકમ કંપનીમાં જમા નહી કરાવતા શ્રીરામ ટ્રાન્સપોર્ટ જામનગર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ -૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરી જે કેસ જામનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તરફે રજુ થયેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ ફરીયાદીનો કેસ સાબિત માની આરોપી પૃથ્વી કન્સ્ટ્રકશનના પ્રોપ . મનોજસિંહ મોતિભા કછુવાને એક વર્ષની સજા તથા ૭,૨૯,૧૬૭ નો દંડ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ અશોક એસ . ગાંધી હાજર રહ્યા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech