લોકસભાની વડોદરા બેઠકના ભાજપ્ના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતે અંગત કારણોસર ચૂંટણી લડવા માગતા નથી તેવી સત્તાવાર જાહેરાત ટ્વીટ કરીને આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભાજપે મને ઉમેદવાર તરીકે જાહેર કયર્િ છે પરંતુ અંગત કારણથી ચૂંટણી લડવાની મારી ઈચ્છા નથી. લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારોની જાહેરાત કરી છે પરંતુ, રંજનબેન ભટ્ટની અનિચ્છા પછી હવે જાહેર થયેલા ઉમેદવારોની સંખ્યા 21 થઈ ગઈ છે અને ભાજપે હવે સૌરાષ્ટ્રની 3 સહિત પાંચ બેઠકના ઉમેદવાર જાહેર કરવા પડશે.
રંજનબેન ભટ્ટે ‘અંગત કારણસર’ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પરંતુ, સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવતા વડોદરા ભાજપમાં જોરદાર ભડકો થયો હતો. ધારાસભ્ય કેતન ઈનામદાર અને તેના સમર્થકોએ મોટી સંખ્યામાં રાજીનામા આપી દેતા ભાજપે ડેમેજ ક્ધટ્રોલના એક ભાગપે તેને બ ગાંધીનગર બોલાવ્યા હતા. ભાજપ્ના પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપ્ના દિગ્ગજ નેતાઓ સાથે બંધબારણે ચચર્િ થઈ હતી. આ ચચર્મિાં શું નક્કી થયું? તે બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ, કેતન ઈનામદારે પોતાનું રાજીનામુ પાછું ખેંચી લીધું હતું. રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ, રંજનબેનની ટીકીટ રદ્દ કરાશે તેવી ખાતરી અપાયા પછી કેતન ઈનામદારે રાજીનામુ પાછું ખેંચ્યું હતું અને આ સમજૂતીના ભાગપે આજે રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટીકીટ આપી હતી. પરંતુ, તેણે પણ ટીકીટ પાછી આપી દીધી છે આમ, ભાજપ અને કોંગ્રેસ બન્નેના એક-એક ઉમેદવારે ટીકીટ પાછી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech