દલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના તિહાર જેલમાંી સરકાર ચલાવવા કટિબદ્ધ છે અને તેમના માટે જેલમાં ખાસ વ્યવસ પણ કરવામાં આવી છે. જેલમાં વીઆઈપી સગવડો સતાવાર રીતે પણ આપી શકાય છે અને વીઆઈપી સગવડો ઓફિસીયલી ખરીદી શકાય છે એ વાત નહીં જનતા લોકોને લાગે છે કે આવી સુવિધા પક્ષપાત છે. જેમ પ્લેન અને ટ્રેનમાં ક્લાસ હોય તેમ જેલમાં પણ ક્લાસ હોય છે. વીઆઈપી માટે સુપિરિયર ક્લાસ હોય છે. સુપિરિયર ક્લાસ હેઠળની સુવિધાઓમાં કેદીને ટેબલ, એક સ્ટૂલ, અખબારો, સૂવા માટે લાકડાનો પલંગ, એક કાર્પેટ, કોટન બેડશીટ, મચ્છરદાની, ચપ્પલની જોડી, કુલર, બહારનું ભોજન, ખાવાનું મળે છે. જેલની અંદર પણ અલગી ભોજન બનાવવાની સુવિધા આપવામાં આવે છે. જ્યારે સામાન્ય કેદીને ખાવા માટે માત્ર પ્લેટ અને ગ્લાસ આપવામાં આવે છે. સૂવા માટે કાર્પેટ અને ધાબળો આપવામાં આવે છે. આ સિવાય સામાન્ય કેદીઓને રહેવા માટે અલગ-અલગ નાના સેલ આપવામાં આવે છે. આ સિવાય જો તે પુસ્તકો વાંચવાની માંગ કરે તો તે પણ આપવામાં આવે છે. હકીકતમાં, કેદીઓને તેમની સામાજિક પરિસ્થિતિ અને ર્આકિ પ્રોફાઇલના આધારે ’વીઆઈપી સ્ટેટસ’ માટે અરજી કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે, ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, સંસદના સભ્યો (સાંસદ), રાજ્યના ધારાસભ્યો, ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ/ડેપ્યુટી સ્પીકર્સ, વર્તમાન સાંસદો/ધારાસભ્યો અને ન્યાયિક મેજિસ્ટ્રેટનેવીઆઈપી કેદીઓ માટે પસંદ કરવામાં આવે છે. મોટાભાગના દોષિત રાજનેતાઓ માટે સારી સુવિધાઓ મેળવવાનો વિકલ્પ હોય છે. આ વિશેષ દરજ્જો હાંસલ કરવો એ બહેતર રહેવા અને ખોરાકની વ્યવસ માટેનું પ્રવેશદ્વાર છે. ભારતની જેલોમાં વીઆઈપી સેલનો હેતુ હંમેશા વીઆઈપી આરોપીઓને અન્ય કેદીઓી બચાવવા અને તેમને બાકીની જેલી અલગ કરવાનો હોય છે. સરકાર આ સેલની સુરક્ષા અને સારી જાળવણી માટે વધુ ખર્ચ કરે છે. ભારતીય બંધારણના જેલ અધિનિયમ મુજબ, કોઈપણ જેલ અધિકારીએ કેદીને કંઈપણ વેચીને અવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને કોઈ લાભ મેળવવો જોઈએ નહીં. તેવી જ રીતે, અધિકારીને જેલ પુરવઠા માટેના કોઈપણ કરારમાં કોઈ રસ હોવો જોઈએ નહીં. તેમજ તે જેલ વતી અવા કોઈપણ કેદીની કોઈપણ વસ્તુના વેચાણ અવા ખરીદીમાંી કોઈ નફો મેળવી શકતો ની. દરેક રાજ્યની પોતાની જેલ મેન્યુઅલ હોય છે અને રાજ્ય સરકાર પાસે જેલના કાયદા, નિયમો અને નિયમોમાં ફેરફાર કરવાની સત્તા હોય છે. જેલમાં કોને કેટલી સુવિધા આપવી તે બધું કોર્ટના આદેશ પર આધારિત છે. જો કે, સહારા ઈન્ડિયા પરિવારના વડા સુબ્રત રોય, જેઓ તિહાર જેલમાં બંધ છે, તેમણે ૫૭ દિવસ માટે વિશેષાધિકારો માટે ૩૧ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેમાં વાતાનુકૂલિત રૂમ, પશ્ચિમી શૈલીના શૌચાલય, મોબાઇલ ફોન, વાઇ-ફાઇ અને વિડિયો કોન્ફરન્સિંગ સુવિધાઓનો સમાવેશ ાય છે. આ માટે તેમની કંપનીનું બિલ એક દિવસમાં ૫૪,૪૦૦ રૂપિયા આવ્યું. કારણ કે તેણે કોર્ટમાં કહ્યું હતું કે જો તેને જેલમાં આ સુવિધાઓ નહીં મળે તો તેના રોજિંદા વ્યવસાયને અસર શે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાની જર્નાલિસ્ટે વધુ એક વખત વધાર્યું રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ
May 01, 2025 04:56 PMરાજકોટ સિટી બસ સ્ટોપ પરથી નોનવેજ ફૂડની જાહેરાત હટાવી, અર્ધ નગ્ન એડના હોર્ડિંગ્સ પણ હટશે
May 01, 2025 04:49 PMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન ૩૮ ડીગ્રી
May 01, 2025 04:43 PMકેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું
May 01, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech