વિંછીયા પંથકમાં વ્યાજખોરે શરણ નેવે મૂકી હોય તેમ એક બાજુ પ્રૌઢ પાસેથી 20 ટકા જેટલું ઉંચુ અજગરી વ્યાજ વસૂલી વધુ પૈસાની માગણી કરી પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું . આ ચકચારી બનાવને પગલે ભોગબનનાર પ્રૌઢની ફરિયાદના આધારે વીંછિયા પોલીસે રાકેશ ઠાકરશીભાઈ પંચાળા (રહે ખારચીયા) સામે દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ વીંછિયા પંથકમાં રહેતા પ્રૌઢના પુત્રના લગ્ન હોવાથી પૈસાની જરૂરિયાત ઉભી થતા પરિચિત મારફતે રમેશ પંચાળાનો સંપર્ક કર્યો હતો. રાકેશ માસિક 20 ટકા લેખે રૂ.1.50 લાખ આપ્યા હતા.
પુત્રનો પ્રસંગ પૂર્ણ થયાં બાદ પ્રૌઢે વ્યાજ રાબેતા મુજબ ચૂકવ્યું હતું. જે કટકે કટકે દોઢ લાખ સામે બે લાખ ચૂકવી દીધા હતા છતાં વ્યાજખોર રાકેશએ વધુ પૈસાની ઉઘરાણી કરતો હતો. દરમિયાન પ્રૌઢ ઘરે ન હોય ત્યારે તેમના ઘરે પહોંચ્યો હતો અને પ્રૌઢની પત્ની સાથે આપત્તીજનક સ્થિતિમાં હોય તે સમયે પ્રૌઢ આવી જતા રાકેશ હાંફળો ફાંફળો થઈ નાશી ગયો હતો. સમગ્ર બનાવ અંગે પ્રૌઢને પત્નીએ વાત કરી હતી કે, રાકેશ પંચાળા ઘરે ધસી આવ્યો હતો.અને ડરાવી-ધમકાવી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.
બનાવને પગલે પ્રૌઢે પત્ની સાથે વિંછીયા પોલીસ મથકે પહોંચી શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખ્સને સકંજામાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application