ખંભાળિયા નજીક હાઈવે પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માતમાં આધેડનું મૃત્યુ
ખંભાળિયા નજીક હાઈવે પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માતમાં આધેડનું મૃત્યુ
May 28, 2026 01:11 PM
ખંભાળિયા નજીક હાઈવે પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માતમાં આધેડનું મૃત્યુ
સારવારમાં દમ તોડયો : પરિવારમાં શોકની લાગણી : રખડતા ઢોરના કારણે સર્જાયો વધુ એક ગંભીર અકસ્માત
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ નામના ૫૨ વર્ષના આધેડ ગત તા. ૫ મે ના રોજ પોતાના જી.જે. ૧૦ એ.જી. ૮૪૨૦ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા - દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે ૮ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી આદર્શ સ્કૂલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક ખૂંટિયો ઉતરી આવ્યો હતો. જેના કારણે રવજીભાઈ નકુમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. આ પછી તેમનું મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાઈ પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મેહુલભાઈ રવજીભાઈ નકુમએ અહીંની પોલીસને કરી છે.