ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી આગામી 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પરંતુ આ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચમાં કિંગ કોહલી ક્રિકેટના મેદાનમાં જોવા મળશે નહી. જીહા, વિરાટ કોહલી આ ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે મેચ રમવાનો નથી. મળતી માહિતી અનુસાર કિંગ કોહલી અંગત કારણોસર પ્રથમ બે મેચ નહી રમે. એટલે પ્રથમ બે મેચ માટે તે ટીમનો હિસ્સો નહીં હોય. હવે જયારે કિંગ કોહલી પ્રથમ બે મેચમાં રમવાનો નથી ત્યારે આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટ માટે નવી રણનીતિ બનાવવી પડશે.
સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે માહિતી આપી હતી કે, વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટમાં ટીમનો ભાગ નહીં હોય. મહત્વનું એ પણ છે કે, બીસીસીઆઇએ હજુ સુધી વિરાટ કોહલીના સ્થાને અન્ય કોઇ નામની જાહેરાત કરી નથી. જોકે, બીસીસીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીના સ્થાને પ્રથમ બે ટેસ્ટ મેચ માટે અન્ય ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવશે.
અહીં મુદ્દાની વાત એ છે કે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયામાં સામેલ ન થવાને કારણે ટીમનો મિડલ ઓર્ડર નબળો હોવાનું ધ્યાને આવે છે. વિરાટ કોહલીએ હાલમાં જ પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ હાંસલ કર્યું છે. પરંતુ જો વિરાટ કોહલી નહીં રમે તો ભારતના મિડલ ઓર્ડરમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે જોવા મળશે. રોહિત શર્મા સિવાય ટોપ ફાઇવમાં સામેલ અન્ય કોઈ બેટ્સમેન પાસે 50 ટેસ્ટ રમવાનો અનુભવ નથી. એટલું જ નહીં શ્રેયસ અય્યરના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય કેએલ રાહુલે તાજેતરમાં મિડલ ઓર્ડરમાં રમવાનું શરૂ કર્યું છે. તેની પાસેથી વધુ અપેક્ષા રાખવી જરૂરી નથી. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયા માટે ખાસ રણનીતિ ઘડી કાઢવી આવશ્યક બની રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech