અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોના આરોપમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે કરાયા છે નિલંબિત
કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મને અનેક ન્યૂઝ ચેનલો દ્વારા માહિતી મળી કે કોંગ્રેસ પાર્ટીએ એક પત્ર જારી કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામ અને રાષ્ટ્ર પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની બરબાદી માટે એ લોકો જવાબદાર છે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી પાર્ટીના નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હું તમામ પક્ષોના નેતાઓને મળ્યો છું અને તેમને કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. મેં સોનિયા ગાંધીને પણ ફોન કરીને એપોઈન્ટમેન્ટ માટે કહ્યું હતું પણ જે લોકોએ રામના આમંત્રણને નકારી કાઢ્યું, શું તેઓ કલ્કિ ધામનું આમંત્રણ સ્વીકારશે? લોકસભા ચૂંટણી લડવાના દાવા પર તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણી લડવી એ અમારા માટે મોટી વાત નથી. હું તેના વિશે વિચારતો નથી.
આચાર્ય કૃષ્ણમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વતી લખનૌ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. આચાર્ય કૃષ્ણમે હાલમાં જ રામ લાલાના અભિષેક સમારોહ માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. જોકે, તેમણે કાર્યક્રમમાં ભાગ ન લેવા બદલ પાર્ટીની ટીકા પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech