જામનગરની જાહેર જનતાને આથી માહિતગાર કરવામાં આવે છે કે આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ શહેરના હાર્દસમા ઐતિહાસિક રણમલ તળાવ ખાતે 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનો સહભાગી થઈ શકે અને આ પવિત્ર અવસરનો લાભ લઈ શકે તે આશયથી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાથી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી રણમલ તળાવ પરિસરમાં તમામ નાગરિકો માટે પ્રવેશ તદ્દન વિનામૂલ્યે (ફ્રી) રાખવાનો જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
આથી, ઉપરોક્ત સમયગાળા દરમિયાન રણમલ તળાવની મુલાકાત લેનાર કોઈપણ નાગરિક પાસેથી એન્ટ્રી ફી વસૂલવામાં આવશે નહીં જેની સર્વે નાગરિકોએ નોંધ લેવી. તમામ નગરજનોને આ વ્યવસ્થાનો લાભ લેવા અને પરિવાર સહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.