જામનગર: સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુરૂ રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિતે કળશ યાત્રા
ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા સમરસતા અભિયાન અંતર્ગત સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજની ૬પ૦ મી જન્મજયંતિ નિમિતે ભવ્ય કળશ યાત્રા યોજાઇ હતી, જે રાધાકૃષ્ણ મંદિર ટાઉનહોલથી તળાવની પાળ દુ:ખભંજન મહાદેવ મંદિરે સમાપન થયું હતું. આ ભવ્ય કળશ યાત્રામાં પ્રણામી સંપ્રદાયના શ્રીકૃષ્ણમણીજી મહારાજ આણદાબાવા સંસ્થા, દેવપ્રસાદજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર મોનીકાબેન વ્યાસ, ભાજપ શહેર અઘ્યક્ષા બીનાબેન કોઠારી, મહામંત્રી મૃગેશ દવે, પૂર્વ મેયર વિનોદભાઇ ખીમસૂર્યા તેમજ નગરસેવકો અને નગરસેવિકાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.