અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભગવાન રામના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ નવા વર્ષનો પહેલો દિવસ રામલલા માટે ખૂબ જ ખાસ બની રહ્યો છે. જીહા, એક અહેવાલ મુજબ આજે નવા વર્ષના પ્રથમ દિવસે રામલલાને છપ્પન ભોગ પ્રસાદ ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રામલલા માટે આ છપ્પન ભોગ પ્રસાદ ખાસ લખનૌથી લાવવામાં આવી રહ્યો છે. મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ભગવાન રામને નવાબોના શહેર લખનૌથી આવેલો ખાસ છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરશે. આ ભોગમાં રામ ભગવાન માટે છપ્પન પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રસગુલ્લા, લાડુ અને બરફી જેવી મીઠાઈઓ પણ સામેલ છે.
આ છપ્પન ભોગ પ્રસાદ લખનૌની પ્રખ્યાત મધુરિમા મીઠાઈમાંથી લાવવામાં આવી રહ્યો છે. દુકાનના માલિક સજલ ગુપ્તાએ છપ્પન ભોગ પ્રસાદ માટે કહ્યું હતું કે, તેમણે શપથ લીધા હતા કે, જ્યારે રામ મંદિર બનશે ત્યારે તેઓ રામલલાને છપ્પન ભોગ અર્પણ કરશે. છેલ્લા ચાર વર્ષથી આ પ્રથાને અનુસરવામાં આવી રહી છે. એટલું જ નહીં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22મી જાન્યુઆરીએ પણ ભગવાન શ્રીરામને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે.
રામ ભગવાનના પ્રાણપ્રતિષ્ઠા માટે હાલ તો સમગ્ર દેશમાં જાણે કે પાવન પર્વની ઉજવણી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ અયોધ્યા માટે નવું વર્ષ ખૂબ જ ખાસ બની રહ્યું હતું. રવિવારે મધ્યરાત્રિએ ઐતિહાસિક લતા મંગેશકર ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાત્રે 12 વાગ્યાની સાથે જ લોકોએ “જય શ્રી રામ”ના નારા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ભારત રત્ન લતા મંગેશકર ચોકમાં લોકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. આમ, રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભગવાન રામના મંદિર ખાતે ભક્તો વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી રહ્યા છે. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે લખનૌથી ખાસ છપ્પન ભોગ પ્રસાદનું આયોજન ભગવાન શ્રીરામ માટે કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech