જામનગર સરકારી પોલીટેકનીક દ્વારા ધો.૧૦ પછીના અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટે તા.૯ જુનના રોજ સેમીનાર યોજાશે
ધો.૧૦ પછી ડીપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડીપ્લોમાં ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટે આગામી તા.૦૯ જુનના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલીટેકનીક,વાલસુરા રોડ,જામનગર ખાતે સેમિનાર યોજાશે .આ સેમીનારમાં સરકારી પોલીટેકનીકના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
સેમીનારમાં ઉમેદવારોએ મહતમ લાભ લેવ માટે સરકારી પોલીટેકનીકના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.