BREAKING NEWS

જામનગર: નવાગામ ઘેડમાં ૧૭ વર્ષની તરૂણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • August 31, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નવાગામ ઘેડમાં ૧૭ વર્ષની તરૂણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

વિજરખીમાં ઠપકો આપતા ૧૪ વર્ષની કિશોરીએ મોત મીઠુ કર્યુ : પરિવારજનોમાં શોકની લાગણી

જામનગરના નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટીમાં ૧૭ વર્ષની તરૂણીએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી દીધી હતી, જયારે વિજરખી ગામમાં પરપ્રાંતીય  ૧૪ વર્ષની કિશોરીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું.
​​​​​​​
જામનગરના નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટી વિસ્તારમાં રહેતી આનંદીબેન મનોજભાઇ ગોહિલ (ઉ.વ.૧૭) નામની તરૂણી તા. ૨૯ના રોજ પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા સારવરમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું,આ બનાવ અંગે મનોજ મગનભાઇ ગોહિલ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં મુળ એમપીના જોબટના વતની અને હાલ જામનગર તાલુકાના વિજરખી ગામ મહેશભાઇની વાડી ખાતે રહેતા ખેતમજુરી કરતા પરિવારની ૧૪ વર્ષની પુત્રી રેશમાબેન રાયચંદભાઇ વાસ્કેલાને જગદીશ નામના છોકરા સાથે પ્રેમ સબંધ હોય જે બાબતે તેણીને ભાઇએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કિશોરીએ વાડીની ઓરડીમાં ગત તા. ૨૮ના રોજ જંતુનાશક દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું, આ અંગે હાલ વિજરખી રહેતા અજય રાયચંદભાઇ દ્વારા પંચકોશી-એમાં જાણ કરવામાં આવી હતી, બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application