વાડી માલિક દ્વારા સેઢા પર ઝટકા મશીન મુકાયું હોવાથી વીજ આંચકો લાગ્યાનું અનુમાન
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયા ગામમાં એક વાડીના શેઢે થી ૩૫ થી ૪૦ વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. વાડી ના શેઢે વીજ પ્રવાહ ચાલુ હોવાથી વિજ આંચકો લાગવાના કારણે મૃત્યુ નીપજ્યાનું અનુમાન કરાયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવાણિયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જીવાભાઇ હમીરભાઇ ચાવડા નામના ખેડૂતે મેઘપર પોલીસને જાણ કરી હતી કે પોતાની વાડી ના શેઢે ૩૫ થી ૪૦ વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો છે.
જે માહિતી ના આધારે મેઘપરના એ.એસ.આઈ.વી.સી. જાડેજા બનાવનાર સ્થળે પહોંચી ગયા હતાઝ અને અજ્ઞાત પુરુષના મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો. મૃતકે પોતાના જમણા હાથની કલાઈમાં હનુમાન નું ટેટુ ત્રોફાવેલું હતું, જ્યારે બંને પગમાં કાળા કલરના બુટ પહેરેલા હતા.
વાડીના શેઢે ખેડૂત દ્વારા કાંટાળી તારમાં ઝટકા મશીન મૂક્યું હોવાથી મૃતક ને વિજ આંચકો લાગ્યો હોવાના કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન કરાયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જયારે મૃતક ની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિહોર સહિત છ અમૃત ભારત સ્ટેશનનું લોકાર્પણ
May 22, 2025 02:18 PMજામનગર: હાપા સહિતના હાલારના રેલ્વે સ્ટેશનોના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ
May 22, 2025 02:17 PMઇકોના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
May 22, 2025 02:14 PMગારિયાધાર તાલુકાના નાનાચારોડીયા ગામેથી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા
May 22, 2025 02:10 PMપાંચતલાવડાના તલાટી મંત્રી નિયમિત રીતે અનિયમિત, લોકોના કામ સ્થગિત
May 22, 2025 02:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech