વિજયભાઈ કહેતા હાલો કિરણબેન ઝીંઝરા શેકો, ઝીંઝરા ખાવા છે, મુખ્યમંત્રી હોવાનું ક્યારેય પણ અભિમાન નથી કર્યું, અમારા ઘરે જમતાઃ પાડોશી મહિલા

  • June 16, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજ્યમાં શોકનો માહોલ છે. આજે તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. અંતિમદર્શન માટે તેમના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તેમની પાડોશમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી હોવાનું ક્યારેય પણ વિજયભાઈ રૂપાણીએ અભિમાન નથી કર્યું, પરિવારજના સભ્ય હોય એમ જ ઘરે જમવા આવતા.​​​​​​​


એકલા હોય તો મને કહી દેતા ચાલો કિરણબેન જમવાનું બનાવો ભૂખ લાગી છે

વધુમાં જણાવ્યું કે, અમે અમારા પરિવારના મોભી ગુમાવ્યા હોય તેવું લાગે છે. તેમનો પરિવાર અને અમારા પરિવાર વચ્ચે જાણે ઋણાનુબંધ હોય તેવો સંબંધ હતો. માનવામાં નહોતું આવતું પણ હવે ડીએનએ રિપોર્ટ આવી ગયો એટલે માનવું પડે છે. તેમના નિધનથી અમારા પરિવારમાં, સોસાયટીમાં અને રાજકોટમાં મોટીખોટ પડી છે. અઠવાડિયા પહેલા જ આવ્યા ત્યારે અમને છેલ્લીવાર મળ્યા અને હાય હેલ્લો કર્યું હતું. હાલો કિરણબેન ઝીંઝરા શેકો, ઝીંઝરા ખાવા છે. અંજલીબેન લંડન ગયા હોય અને તેઓ એકલા હોય તો મને કહી દેતા ચાલો કિરણબેન જમવાનું બનાવો ભૂખ લાગી છે.     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application