BREAKING NEWS

જામનગર : પૂ. કૃષ્ણમણીજી મહારાજના ૬૨ માં શુભ જન્મ ઉત્સવની ઉજવણી: રક્તદાન કેમ્પ

  • January 02, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે કૃષ્ણ પ્રણામી ધર્મના વડા અનંત વિભૂષિત જગદગુરૂ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના ૬૨માં શુભ જન્મ ઉત્સવની ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના સવારથી ઉજવણીનો પ્રારંભ થયો છે. ૫ નવતનપુરી ધામના પ્રાંગણમાં  દેશ વિદેશમાંથી ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસની વધાઈ સાથે વંદના કરવામાં આવી હતી.



 અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના ૬૨માં શુભ જન્મ ઉત્સવ પ્રસંગે સવારથી જી.જી હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૬૨ થી વધુ લોકોએ રક્તદાન કરી માનવ જીવન બચાવવાના સેવાયજ્ઞમાં જોડાઈ અનોખી ગુરૂ ભક્તિ અદા કરી હતી. તો આ પ્રસંગે ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો દ્વારા  ૫ નવતનપુરી ધામ મંદિર નિર્માણ માટે પણ સેવાની સરવાણી વહાવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application