BREAKING NEWS

મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત લથડી: મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયા

  • September 01, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત અચાનક નાદુરસ્ત બનતા તેમને વધુ સારવાર અર્થે મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રીની તબિયત લથડવાની જાણ થતાં જ રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


ડાયાબિટીસના કારણે ગેંગરીનની ગંભીર સમસ્યા

મળતી માહિતી મુજબ, મંત્રી પરષોત્તમ સોલંકી લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસના ઉચ્ચ સ્તર અને જટિલતાઓને કારણે તેમને પગના ભાગે ગેંગરીનની  અસર થઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ વધુ ન વણસે તે માટે તબીબોની સલાહ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે મુંબઈ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


નિષ્ણાત તબીબોની ટીમે સારવાર શરૂ કરી

મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે તબીબોની વિશેષ ટીમ દ્વારા તેમના વિવિધ મેડિકલ રિપોર્ટ હાથ ધરીને જરૂરી સારવાર અને સર્જરી સંબંધિત પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. બીજી તરફ, મંત્રીના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે તેમના મતવિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં શુભચિંતકો અને ભાજપના કાર્યકરો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application