આકાશી આફત બનેલો વરસાદ આજે સુરતમાં કહેર બની ત્રાટક્યો છે. અતિભારે વરસાદથી સ્માર્ટ સિટી સુરત અત્યારે પાણી-પાણી થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સુરતમાં વરસાદને કારણે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં વીજળી પડતા 1, કરંટ લાગતા 3 અને ડૂબી જતા 2નાં મોત થયા છે.
શહેરમાં આફત નોતરનારા વરસાદથી 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. જેમાં 6 જુલાઈએ બે અને 7 જુલાઈએ કુલ પાંચ લોકોના મોત થયા છે. જેમાં કરંટ લાગવાથી 4 લોકોના જ્યારે ડૂબવાથી બે બાળકીના અને એક પરણિતાનું વીજળી પડવાથી મોત થયું છે.
સુરતમાં વરસાદથી ૨૪ કલાકમાં ૭ના મોત
૬ જુલાઈ - ૨ મોત
રાંદેર: કરંટ લાગવાથી આઝમ અને પાડોશી સલમાનનું મોત
૭ જુલાઈ - ૫ મોત
કતારગામ: ધાબા પર નહાતી નવવધૂ પર વીજળી પડતાં મોત
પાંડેસરા: સંકટમોચન હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી રામ સુરેશ પાંડેનું કરંટ લાગવાથી મોત
માનદરવાજા: લોખંડની રેલિંગમાં કરંટ લાગવાથી ૬ વર્ષીય અલીનાનું મોત
પાલી: ૮ વર્ષીય ક્રિષ્ણા અને ૮ વર્ષીય શ્રેયાનું ડૂબી જવાથી મોત