ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી એકવાર વધી રહ્યો હોય તેવું લાગે છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરોમાં ₹12,921 કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉ, જુલાઈમાં, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં આશરે 20,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદી માટે ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. આમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો, યુએસમાં વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને રૂપિયાની સ્થિરતાનો સમાવેશ થાય છે. આ પરિબળો ભારતીય શેરબજારને ફરી એકવાર વિદેશી રોકાણકારો માટે આકર્ષક બનાવી રહ્યા છે. જુલાઈ પહેલા સતત ચાર મહિના સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર વેચ્યા હતા. સીડીએસએલ ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ એ જૂનમાં ₹49,340 કરોડ, મેમાં ₹32,963 કરોડ અને એપ્રિલમાં રૂ60,847 કરોડનું વેચાણ કર્યું હતું. માર્ચમાં, વિદેશી રોકાણકારોએ રેકોર્ડ રૂ.1.17 લાખ કરોડ પાછા ખેંચી લીધા હતા. જોકે, ફેબ્રુઆરીમાં, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ.22,615 કરોડનું રોકાણ કર્યું હતું. આમ છતાં, 2026 માં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી આશરે રૂ.2.41 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. દરમિયાન, સમગ્ર વર્ષ 2025 માં,વિદેશી રોકાણકારોએ આશરે રૂ,1.66 લાખ કરોડનું વેચાણ કર્યું હતું. બજાર નિષ્ણાતો કહે છે કે યુએસમાં વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ ઉભરતા બજારોમાં વિદેશી રોકાણનું આકર્ષણ વધાર્યું છે. વધુમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને રૂપિયાની સ્થિરતા પણ ભારતીય બજાર માટે સકારાત્મક છે. ભારતીય રિઝર્વ બેંકના સુધારેલા આર્થિક વિકાસ અને ફુગાવાના અનુમાનથી પણ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જોકે, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ભાગીદારી પ્રમાણમાં ઓછી રહે છે. પરિણામે, વધુ વિદેશી રોકાણ વૃદ્ધિ માટે અવકાશ રહે છે. ઓટો અને આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત નિષ્ણાતો માને છે કે વિદેશી રોકાણકારો ઓટોમોબાઇલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં વધુને વધુ રસ લઈ રહ્યા છે. વિદેશી રોકાણકારો માત્ર શેરબજારમાં જ નહીં પરંતુ ડેટ અને બોન્ડ બજારોમાં પણ રોકાણ કરી રહ્યા છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ જનરલ રૂટ હેઠળ બોન્ડ માર્કેટમાં આશરે રૂ.622 કરોડનું રોકાણ કર્યું છે.