ગામડાઓમાં સારો વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ: તાપમાન 35.5 ડીગ્રી
જામનગર સહિત સમગ્ર હાલારમાં આગામી ચાર દિવસ સુધી ગમે ત્યારે ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી રાજયના હવામાન ખાતાએ કરી છે જેના કારણે તંત્ર એલર્ટ બની ગયું છે, ગઇકાલે રાત્રે જામનગરમાં વિજળીના ભારે કડાકા-ભડાકા થયા હતાં અને વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પોણા બે ઇંચ વરસાદ પડયો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 94 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજ સવારથી જ બફારો શરૂ થઇ ગયો છે. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલાક સ્થળોએ ઝાપટા પડયા છે.
ચાર દિવસ સુધી હાલારમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે બંને જિલ્લાના કલેકટરોને સાવચેત કરી દેવામાં આવ્યા છે, જો કે ગામડાઓમાં સારો વરસાદ છે, 15 ડેમમાં નવા નીરની આવક થઇ છે જયારે અનેક ચેકડેમો ભરાઇ ચૂકયા છે ત્યારે પીવાના પાણીની સમસ્યા હાલ તો થોડા ઘણા અંશે ઉકેલાઇ ગઇ છે.
કાલાવડ, જામજોધપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસનું વાવેતર શરૂ થઇ ગયું છે, લગભગ 1.95 લાખ હેકટરમાં વાવેતર થયું છે ગયા વખતે 3.48 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિત અન્ય ચીજવસ્તુઓનું વાવેતર થયું છે અને કેટલાક ગામડાઓમાં 45 ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડયો છે.
દશેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને હવે ફરીથી બે દિવસથી ગામડાઓમાં જોરદાર વરસાદ શરૂ થયો છે. ત્યારે ધરતીપુત્રો વાવણી કાર્યમાં લાગી ગયા છે, ખાસ કરીને હાલારના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, જયારે મગફળી ઉપરાંત શાકભાજી, તલ, એરંડા અને ઘાસચારાનું પણ વાવેતર ધીમે-ધીમે શરૂ થઇ ચૂકયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMબહેનના ફોટા ફોનમાંથી ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના શખ્સોનો કાકા-ભત્રીજા ઉપર હુમલો
May 03, 2025 03:04 PM‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech