રાણાવાવમાં ઉનાળામાં મુંગા જાનવરો માટે લોકભાગીદારીથી થઇ પાણીની વ્યવસ્થા બસસ્ટેશન પાસેની ગલીમાં જીવદયાપ્રેમીઓએ જનભાગીદારી કરી બનાવ્યો અવેડો

  • May 03, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં ઉનાળાના આકરા તાપમાં અનેક મુંગા જીવો પાણી માટે હેરાન થતા હોય છે  ત્યારે રાણાવાવના જીવદયાપ્રેમીઓએ જનભાગીદારીથી પશુઓ માટે પીવાના પાણીનો અવેડો બનાવીને ઉમદા કાર્ય હાથ ધરતા તેમને બિરદાવવામાં આવ્યા છે.
રાણાવાવ ખાતે આવા ધોમ ધખતા તાપમાં મૂંગા જાનવરો માટે લોકભાગીદારી થી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.રાણાવાવ બસ સ્ટેશન નજીક એક ગલીમાં ઉનાળાના આ ૪૪ ડિગ્રીના તાપમાં મૂંગા જીવો માટે એક પાણીનો અવેડોે બનાવવામાં આવ્યો.જો કે થોડા મહિનાઓ પહેલા બાજુમાં કામ ચાલતા હોવાથી આ અવેડાઓ બંધ કરવામાં આવેલ પણ હવે સ્વચ્છતા રહેતી હોય આ સ્થળે જનભાગીદારીથી ફરીથી આ અવેડાનું નિર્માણ કરવામાં આવ્યું. આ પાણીની વ્યવસ્થા ગલીમાં કરવામાં આવી છે જેથી કરી ને રાહદારીઓ તથા મુખ્ય રસ્તા પર આ જાનવરોનો રંજાડ નહીં રહે. બાજુમાં અમુક પરિવારોના કુળદેવીના સ્થાનક પણ આવેલ છે.આ ગલીમાં લોકોએ જાહેર મુતરડી બનાવેલ હોય, અને અત્યંત ગંદકી ફેલાતી હોય, રાણાવાવ નગરપાલિકા આ બાબતે ધ્યાન આપે તેવી ત્યાં આજુબાજુ ના લોકોએ માંગ પણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application