હાલમાં ઉનાળાના આકરા તાપમાં અનેક મુંગા જીવો પાણી માટે હેરાન થતા હોય છે ત્યારે રાણાવાવના જીવદયાપ્રેમીઓએ જનભાગીદારીથી પશુઓ માટે પીવાના પાણીનો અવેડો બનાવીને ઉમદા કાર્ય હાથ ધરતા તેમને બિરદાવવામાં આવ્યા છે.
રાણાવાવ ખાતે આવા ધોમ ધખતા તાપમાં મૂંગા જાનવરો માટે લોકભાગીદારી થી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.રાણાવાવ બસ સ્ટેશન નજીક એક ગલીમાં ઉનાળાના આ ૪૪ ડિગ્રીના તાપમાં મૂંગા જીવો માટે એક પાણીનો અવેડોે બનાવવામાં આવ્યો.જો કે થોડા મહિનાઓ પહેલા બાજુમાં કામ ચાલતા હોવાથી આ અવેડાઓ બંધ કરવામાં આવેલ પણ હવે સ્વચ્છતા રહેતી હોય આ સ્થળે જનભાગીદારીથી ફરીથી આ અવેડાનું નિર્માણ કરવામાં આવ્યું. આ પાણીની વ્યવસ્થા ગલીમાં કરવામાં આવી છે જેથી કરી ને રાહદારીઓ તથા મુખ્ય રસ્તા પર આ જાનવરોનો રંજાડ નહીં રહે. બાજુમાં અમુક પરિવારોના કુળદેવીના સ્થાનક પણ આવેલ છે.આ ગલીમાં લોકોએ જાહેર મુતરડી બનાવેલ હોય, અને અત્યંત ગંદકી ફેલાતી હોય, રાણાવાવ નગરપાલિકા આ બાબતે ધ્યાન આપે તેવી ત્યાં આજુબાજુ ના લોકોએ માંગ પણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech