સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈને તેમના પિતા આસારામ સાથે મુલાકાત કરવા માટે ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ હુકમ મુજબ, નારાયણ સાઈ જોધપુર જેલમાં બંધ તેમના પિતાને ચાર કલાક માટે મળી શકશે. આ મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા પણ હુકમ કરવામાં આવ્યો છે, એટલે કે મુલાકાત દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ હાજર રહી શકશે નહીં.
હાઈકોર્ટે નારાયણ સાઈની માતા અને બહેનને આ મુલાકાતમાં સામેલ થવાની મંજૂરી આપી નથી. સુરત જેલમાંથી નારાયણ સાઈને હવાઈ માર્ગે જોધપુર લઈ જવામાં આવશે. તેમની સુરક્ષા માટે એક એસીપી, એક પીઆઈ, બે હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની ટુકડી સાથે રહેશે. નારાયણ સાઈને જોધપુર અને પાછા સુરત આવવા-જવાના ખર્ચ માટે પાંચ લાખ રૂપિયાની રકમ સચિન પોલીસ મથકમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ રકમ જમા કરાવ્યા બાદ સરકાર નારાયણ સાઈની જોધપુરની મુલાકાતનો સમય નક્કી કરશે.
ખર્ચ પેટે પાંચ લાખ જમા કરાવવા હુકમ
નારાયણ સાંઈને અવર જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ મથકે જમાં કરાવવા કોર્ટે હુકમ કર્યો છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર જવરના સમય અંગે સરકાર નિર્ણય લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMબહેનના ફોટા ફોનમાંથી ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના શખ્સોનો કાકા-ભત્રીજા ઉપર હુમલો
May 03, 2025 03:04 PM‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech