ભારતીય રિઝર્વ બેંકે ચેક ક્લિયરન્સને વધુ ઝડપી બનાવવા માટે એક મુખ્ય સમયમર્યાદા અમલી બનાવવાનું નક્કી કર્યું હતું જે સમય મર્યાદા હવે મુલતવી રાખી છે. ફેઝ-૨ સિસ્ટમ, જે ૩ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ થવાની હતી, તેને આગળના આદેશો સુધી અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી છે. આ તબક્કામાં, બેંકોને ચેક પ્રાપ્ત થયાના ત્રણ કલાકની અંદર ચેકને મંજૂરી અથવા અસ્વીકાર કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો . જે હવે જારી કરાયેલા એક પરિપત્રમાં, આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સતત ક્લિયરિંગ અને સેટલમેન્ટ સિસ્ટમનો બીજો તબક્કો હજુ લાગુ કરવામાં આવશે નહીં. જોકે, તબક્કો 1 પહેલાની જેમ ચાલુ રહેશે.
અગાઉ શું સીસ્ટમ હતી
આરબીઆઈએ ચેક ટ્રંકેશન સિસ્ટમ હેઠળ સીસીએસ સિસ્ટમ રજૂ કરી હતી જેથી ચેક ક્લિયરન્સ ઝડપી અને સરળ બને. આનાથી ભૌતિક ચેક મોકલવાની જરૂરિયાત દૂર થાય છે, પરંતુ તેના બદલે, ડિજિટલ છબીઓ અને ઇલેક્ટ્રોનિક ડેટાનો ઉપયોગ કરીને ક્લિયરન્સ કરવામાં આવે છે.પહેલો તબક્કો
4 ઓક્ટોબર, 2025થી અમલમાં આવ્યો છે જેમાં બેંકોને ચેક મળતાની સાથે જ તેઓ તેની છબી અને એમઆઈસીઆર ડેટા સ્કેન કરે છે અને તેને ક્લિયરિંગ હાઉસમાં મોકલે છે. બેચ માટે રાહ જોવાની જરૂર નથી.ડ્રોઈ બેંક (જે ખાતામાંથી પૈસા કાપવાના છે) ચેકની છબી જુએ છે અને ઇલેક્ટ્રોનિક મંજૂરી અથવા અસ્વીકાર મોકલે છે. જો નિર્ધારિત સમયની અંદર પ્રતિસાદ પ્રાપ્ત ન થાય, તો ચેક આપમેળે મંજૂર અને સેટલ થઈ જાય છે.
બીજા તબક્કામાં શું થવાનું હતું?
બીજા તબક્કાનો હેતુ ક્લિયરન્સને વધુ ઝડપી બનાવવાનો હતો. દરખાસ્ત અનુસાર, બેંકો પાસે ચેકની છબી પ્રાપ્ત થયા પછી માત્ર ત્રણ કલાકનો સમય હશે. જો સમયસર પ્રતિસાદ પ્રાપ્ત ન થાય, તો ચેક આપમેળે મંજૂર અને સેટલ થઈ જશે. આનાથી ગ્રાહકની ઍક્સેસ ઝડપી થવાની અપેક્ષા હતી.
બીજા તબક્કાને મુલતવી રાખવા સાથે, ત્રણ કલાકની કડક સમયમર્યાદા હવે લાગુ રહેશે નહીં. હાલના તબક્કા 1 સિસ્ટમ હેઠળ ચેક ક્લિયરન્સ ચાલુ રહેશે. આરબીઆઈએ જણાવ્યું છે કે બીજા તબક્કા માટે નવી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.