સૌરાષ્ટ્ર કચ્છમાં સૂર્યનારાયણનો પ્રકોપ છવાયો છે અને આગામી બુધવાર સુધી તેમાં કોઈ પ્રકારની રાહત મળે તેવી શક્યતા નથી. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ વધશે અને આગામી ચાર દિવસમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું મહતમ તાપમાન વધશે.
હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં હીટ વેવનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કચ્છ અને રાજકોટ માટે પાંચે પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદર જુનાગઢ મોરબી મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ થશે પરંતુ આવતીકાલથી ફરી તાપમાનમાં વધારાનો ક્રમ ચાલુ થઈ જશે.
જાણો ગઈકાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું
44.5 ડિગ્રી સાથે શુક્રવારે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન કચ્છના ભુજ શહેરમાં નોંધાયું હતું. ઉનાળાની સિઝનમાં અત્યારે જે તાપમાન હોવું જોઈએ તેના કરતાં ભુજમાં સાત ડિગ્રી વધુ તાપમાન છે. આવી જ રીતે રાજકોટમાં ચાર નલિયામાં પાંચ અને ડીસામાં ચાર ડિગ્રી વધુ તાપમાન છે. રાજકોટમાં ગઈકાલે 42.9 નલિયામાં 40.4 ડીસામાં 42.1 અમરેલીમાં 41.1 અમદાવાદમાં 41.3 કંડલામાં 42 સુરેન્દ્રનગરમાં 43.2 અને કેશોદમાં 40.7 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાએ હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું
સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં હવામાન ખાતાએ હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આવી જ રીતે દેશના અન્ય ભાગોની વાત કરીએ તો હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ હિટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તારીખ 9 સુધી ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અંદામાનમાં સાયકલોનીક સર્ક્યુલેશન છવાયું છે અને તેના કારણે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનનો ફૂકાઈ રહ્યા છે. આ સિસ્ટમના કારણે દરિયાકાંઠાના ગુજરાત કોકણ અને ગોવાના વિસ્તારોમાં આગામી તારીખ 9 સુધી ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે અને અકળામણ તથા બેચેની વધી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech