BREAKING NEWS

ખરાબ હવામાનના કારણે નવી મુંબઈ-દીવ ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ: તમામ ૪૨ મુસાફરો સુરક્ષિત

  • August 30, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવી મુંબઈથી દીવ તરફ જઈ રહેલી ફ્લાઇટ સાથે સંબંધિત એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દીવ અને તેની આસપાસના વિસ્તારમાં અચાનક બદલાયેલા ખરાબ હવામાન અને અત્યંત ઓછી વિઝિબિલિટીના કારણે વિમાનનું લેન્ડિંગ શક્ય બન્યું ન હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-7023ને તાત્કાલિક સુરત એરપોર્ટ તરફ ડાઇવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


પાયલોટે પોતાની સૂઝબૂઝ અને કુશળતા દર્શાવીને બપોરે ૧૨:૨૨ વાગ્યે સુરત એરપોર્ટના રનવે નંબર-૦૫ પર વિમાનનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ફ્લાઇટમાં કુલ ૪૨ મુસાફરો સવાર હતા, જે તમામ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈમરજન્સી ડાઇવર્ઝન અને લેન્ડિંગ બાદ મુસાફરોમાં સર્જાયેલી ચિંતા વચ્ચે સુરત એરપોર્ટ પ્રશાસને ત્વરિત કામગીરી હાથ ધરી હતી.

સુરત એરપોર્ટ પ્રશાસન દ્વારા તમામ ૪૨ મુસાફરો માટે એરપોર્ટ પર જ રહેવા-જમવા અને જરૂરી સુવિધાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી હતી. હવામાન સુધર્યા બાદ અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાયા પછી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application