શહેરના પોપટપરા વિસ્તારમાં કૃષ્ણનગરમાં રાત્રીના વીજ થાંભલા નીચે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી નામચીન શખસો સહિત નવ જુગારીઓને ઝડપી લઇ .૧.૩૦ લાખની રોકડ કબજે કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. અનિલભાઇ સોનારા કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે રાત્રીના પોપટપરા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર શેરી નં.૬ ખૂણ વીજ થાંભલા નીચે જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રોકડ .૧,૩૦,૬૦૦ કબજે કર્યા હતાં.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મોહસીન સલીમભાઇ મોટાણી(ઉ.વ ૩૪ રહે. પરસાણાનગર શેરી ન.ં ૬ જામનગર રોડ), માજીદ જુસબભાઇ દલવાણી(ઉ.વ ૨૭ રહે. જંકશન પ્લોટ શેરી ન.ં ૧ ભીસ્તીવાડ), ગફાર નુરમહંમદ સુધાગુનીયા(ઉ.વ ૫૪ રહે. પોપટપરા શેરી ન.ં ૨), અફઝલ ઉર્ફે સદામ અહેમદભાઇ દલવાણી(ઉ.વ ૨૪ રહે. પોપટપરા કુષ્ણપરા શેરી ન.ં ૫), રહીમ હાસમભાઇ સૈયદ(ઉ.વ ૩૬ રહે. સંજયનગર શેરી નં.૨ જામનગર રોડ), હાજી ઇસ્માઇલભાઇ જુણેજા(ઉ.વ ૪૧ રહે. ખોડીયારપરા શેરી ન.ં ૫ આજી વસાહત ૮૦ ફટ રોડ), ચીરાગ મહેશભાઇ ચૌહાણ(ઉ.વ ૨૭ રહે. ખડીયાપરા હાજી પીરનો ખાડો રેલવે કવાર્ટર પાસે), સુલેમાન ઉર્ફે ડાડો અબ્દુલભાઇ પલેજા(ઉ.વ ૩૦ રહે. ખડીયાપરા હાજીપરા ખાડો રેલવે કવાર્ટર) અને હિતેષ અશોકભાઇ દરીયાણી(ઉ.વ ૩૪ રહે. પરાસાણાનગર શેરી ન.ં ૧) નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે,જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મોટાભાગના અગાઉ એક થી વધુ વખત જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.જેમનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવી રહ્યો છે.આ શખસો અહીં અઠવાડિયાથી જુગાર રમતા હોવાનું જાણવ મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMબહેનના ફોટા ફોનમાંથી ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના શખ્સોનો કાકા-ભત્રીજા ઉપર હુમલો
May 03, 2025 03:04 PM‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech