જામનગરમાં વાદળો વચ્ચે તાપથી રાહત, બફારો વઘ્યો: તાપમાન ૩૬.૫ ડીગ્રી

  • June 16, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં છેલ્લા બે અઠવાડીયાથી વાદળીયું વાતાવરણ રહે છે, ભેજ વધુ હોવાના કારણે બપોરના ભાગમાં ગરમી રહે છે ત્યારે આજે સવારે પણ શહેર અને આજુબાજુના ગામડાઓમાં વાદળો છવાયા હતાં, જો કે સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા ગરમીમાં થોડી રાહત થઇ હતી, ખેડુતોએ પણ ઓજારો સજાવીને ધીરે-ધીરે વાવણી કાર્ય શરૂ કર્યુ છે. કેટલાક ગામોમાં ધીરે-ધીરે પીવાના પાણીની તંગી શરૂ થઇ ચૂકી છે, જો કે જામનગર શહેરમાં જુલાઇના અંત સુધી ચાલે તેટલું પાણી છે ત્યારે શહેરમાં સતત બફારો રહે છે, આખો દિવસ વાદળા છવાય છે, પરંતુ વરસાદ આવતો નથી અને બફારો વધતો જાય છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૬.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮.૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૯ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા છે, મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ થવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે.


આજે સવારે જામનગરનું વાતાવરણ પણ તડકો અને છાયડો રહ્યું હતું જેને કારણે અત્યારથી જ બફારો શરૂ થયો છે. સાંજ સુધીમાં વધુ ગરમી પડે તેવી શકયતા છે, તા.૧૬ જુન આસપાસ ચોમાસુ બેસી જશે તેવી હવામાન ખાતાએ અગાઉ આગાહી કરી હતી, હાલ તો હાલારમાં ગરમીનું પ્રમાણ વઘ્યું છે. આ વર્ષે ગયા વખત કરતા ૧૬ ટકા વધુ થશે તેવું હવામાન ખાતુ કહે છે.


અસહ્ય ગરમીને કારણે ખેડુતોને પણ ખેતી કામમાં મુશ્કેલી પડી હતી, કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી ભારે ગરમી જોવા મળી હતી, જો કે ગઇકાલે સાંજે ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રાત્રે ગરમીથી રાહત થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application