વિધાનસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિશ્વાસ મત જીત્યો. વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન કુલ ૧૪૪ ધારાસભ્યોએ ટીવીકે સરકારને ટેકો આપ્યો હતો, જ્યારે ૨૨ વિરુદ્ધ મતદાન કર્યું હતું. પ્રક્રિયા દરમિયાન, ૨૨ ધારાસભ્યોએ સરકારનો વિરોધ કર્યો હતો, જ્યારે ૫ ગેરહાજર રહ્યા હતા. નવી સરકારની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આ ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિજયે ૧૭૧ સભ્યોની વિધાનસભામાં સરળતાથી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જેનાથી રાજ્યમાં તેમની સરકાર ટકી રહેવાનો માર્ગ મોકળો થયો હતો.
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા, સીએમ વિજયે તમિલનાડુ કોંગ્રેસના નેતાઓ અને અન્ય સાથી પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બધા સાથી પક્ષોએ ટીવીકે સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. જોકે, એઆઈએડીએમકેના વડા ઈપીએસે સ્પષ્ટ કર્યું છે કે એઆઈએડીએમકે વિજય વિરુદ્ધ મતદાન કરશે.
તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં ચાલી રહેલી તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે) સરકારે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી. જો કે, બહુમતી માટે જરૂરી 118 ના આંકડાથી તે પાછળ હતી.
થલાપતિ વિજયે રવિવારે કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ (એમ), વીસીકે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) ના સમર્થન સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બુધવારે યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં વિજય સરકારને 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જે બહુમતીના આંકડા કરતા ઘણું વધારે છે. ખાસ વાત એ છે કે, એઆઈએડીએમકેના એક જૂથ દ્વારા પણ વિજયને સમર્થન આપવામાં આવ્યું હોવાનું મનાય છે. જોકે વિરોધમાં ફક્ત 22 જ વોટ પડ્યા હતા. 5 ધારાસભ્યો મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા. કુલ 171 સભ્યોની ભાગીદારીવાળી આ પ્રક્રિયામાં વિજયે સરળતાથી બહુમતી સાબિત કરી દીધી છે.
તાજેતરના આ પરિવર્તનથી સ્ટાલિનની પાર્ટી ડીએમકે જોતી રહી ગઈ છે અને વિજયે ગઠબંધનના જોરે પોતાની સત્તાને વધુ મજબૂત બનાવી દીધી છે. કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નવી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે પડકારને વિજયે સફળતાપૂર્વક પાર પાડ્યો છે.