અમદાવાદના નરોડમાં એક માતાએ પોતાના 7 વર્ષના માસૂમ પુત્રને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. બાદમાં પોતે પણ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં માતા-પુત્રનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું છે.
સોસાયટીના લોકો ઘટના જોઈ આઘાતમાં સરી પડ્યા
આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. જ્યારે બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કે, મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે. એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયું છે ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે.
પુત્ર માનસિક બીમાર હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, પુત્ર માનસિક બીમાર હતો. તેમજ માતાની પણ માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. હાલ ક્યાં કારણસર આ પગલું ભર્યું એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી છે.
લોહીથી ભરાયેલા ખાબોચિયા જોઈ લોકોએ ચીંસો પાડી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી આજે સવારે એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં વિગત એવી સામી આવી રહી છે કે, મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે, જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણિયા છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાયું અને જોરદાર અવાજ આવતાં લોકો ભેગા થઈ ગયા હતા.
નીચે લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં, જે જોઈને લોકો ચીંસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
મહિલાનો પતિ પોલીસમાં ફરજ બજાવે છે
સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ- સ્ક્વોડમાં ફરજ બજાવે છે. તેમનું નામ મિતેશ વાણિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ મોબાઈલ અથવા કોઈ આત્મહત્યા પહેલાં કોઈ ચિઠ્ઠી લખી હોય અથવા મેસેજ કર્યો હોય એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના નભોમંડળમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નઝારો જોવા મળશે
May 03, 2025 03:10 PMનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMબહેનના ફોટા ફોનમાંથી ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના શખ્સોનો કાકા-ભત્રીજા ઉપર હુમલો
May 03, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech