રંગીલા પાર્ક મેઇન રોડ પર પાનની દુકાન પાસે બેઠેલા યુવાન પર છ શખસોને ધોકા વડે હુમલો કરી તેના હાથપગ ભાંગી નાંખ્યા હતાં. યુવાનની ધર્મની બહેનની આરોપીના મિત્રના મિત્રે છેડતી કરી હતી.જે બાબતે માથાકૂટ થયા બાદ સમાધાન થઇ ગયું હતું.દરમિયાન આ વાતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
શહેરના હરિધવા રોડ પર પુરુષાર્થ સોસાયટીમાં રહેતા પાર્થ ધીરુભાઈ કાકડીયા (ઉ.વ 32) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજયસિંહ જાડેજા તથા તેની સાથેના પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પ્રાઇવેટ નોકરી કરે છે તેને સંતાનમાં એક પુત્રી છે. ગઈકાલે રાત્રિના જમીને તે બાઈક લઇ રંગીલા સોસાયટીના ખૂણે આવેલી ક્રિષ્ના પાન નામની દુકાને માવો ખાવા માટે ગયો હતો. બાદમાં અહીં વાહનની ઘોડી ચડાવી તેના પર બેઠો હતો. દરમિયાન આશરે રાત્રિના 10:30 વાગ્યા આસપાસ છ શખસો અહીં ધસી આવ્યા હતા. જેમાં અજયસિંહ તથા તેની સાથેના પાંચ અજાણ્યા શખસો હોય તેમણે યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આ શખસો અહીંથી જતા રહ્યા હતા. યુવાન પર હુમલો થયાની જાણ તેના પરિવારજનોને થતા તુરંત અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ ૧૦૮ મારફત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને જમણા પગમાં અને જમણા હાથમાં ફ્રેક્ચર થયાનું માલુમ પડ્યું હતું તેમજ કપાળ પર પણ ઈજા થતાં ત્રણ ટાકા આવ્યા હતા.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ચારેક દિવસ પૂર્વે અજયસિંહના મિત્ર ધર્મેશના મિત્રએ યુવાનની ધર્મની માનેલી બહેનની છેડતી કરી હોય જે બાબતે અજયસિંહ વચ્ચે પડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ મામલે બંને પક્ષ વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. દરમિયાન આ વાતનો ખાર રાખી અજયસિંહ તથા તેની સાથેના પાંચ શખસોએ યુવાન પર રાત્રિના હુમલો કરી તેના હાથપગ ભાંગી નાખ્યા હતા. જે મામલે યુવાનની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ વી.એલ.રાઠોડ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech