BREAKING NEWS

જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ : બંને કુંડમાં ૬૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

  • September 16, 2026 10:00 AM 

જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ : બંને કુંડમાં ૬૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

ખંભાળિયા બાયપાસના વિસર્જન કુંડમાં ૫૧, સરદાર રિવેરા નજીકના કુંડમાં ૧૭ મૂર્તિઓનું વિસર્જન :મનપા ની વ્યવસ્થામાં ભક્તોએ નિર્ધારિત કુંડ ખાતે કરી ગણેશજીની વિદાય
​​​​​​​

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિદાયનો ક્રમ શરૂ થયો છે. ગણેશ ચતુર્થીના પર્વે સ્થાપના કરવામાં આવેલા ગણપતિજીની એક દિવસ બાદ વિસર્જન કરવાની પરંપરા અંતર્ગત ગઈકાલે તા. ૧૫ સપ્ટેમ્બરે શહેરના બંને વિસર્જન કુંડમાં કુલ ૬૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર તથા વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત કુંડ ખાતે લાવવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ખંભાળિયા બાયપાસ કુંડમાં સૌથી વધુ ૫૧ મૂર્તિઓનું વિસર્જન

ગઈ કાલે થયેલા વિસર્જનના આંકડા મુજબ ખંભાળિયા બાયપાસ ખાતેના વિસર્જન કુંડમાં કુલ ૫૧ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તો દ્વારા વિવિધ કદ અને સ્વરૂપની ગણેશ મૂર્તિઓ અહીં લાવી વિસર્જન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા બાયપાસના વિસર્જન કુંડ ખાતે આજે થયેલા ૫૧ મૂર્તિઓના વિસર્જન સાથે આજના દિવસનો કુલ આંકડો પણ ૫૧ રહ્યો હતો.

સરદાર રિવેરા કુંડમાં ૧૭ ગણેશજીની મૂર્તિઓની વિદાય

બીજી તરફ સરદાર રિવેરા ખાતે બનાવવામાં આવેલા વિસર્જન કુંડમાં આજે કુલ ૧૭ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના આ વિસ્તારમાં રહેતા ગણેશ ભક્તો તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ગણેશજીની મૂર્તિઓ લઈને વિસર્જન માટે પહોંચ્યા હતા. સ​​​​​રદાર રિવેરા વિસર્જન કુંડ ખાતે આજે ૧૭ મૂર્તિઓનું વિસર્જન થતાં આજના દિવસનો કુલ આંકડો ૧૭ રહ્યો હતો.

બંને વિસર્જન કુંડમાં મળી કુલ ૬૮ મૂર્તિઓનું વિસર્જન

આમ, તા. ૧૫ સપ્ટેમ્બરના બીજા દિવસે ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરા એમ બંને વિસર્જન કુંડ ખાતે મળીને કુલ ૬૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં ૫૧ અને સરદાર રિવેરા કુંડમાં ૧૭ મૂર્તિઓનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કુંડનો ગણેશ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની વિદાયની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે થાય તે માટે નિર્ધારિત વિસર્જન કુંડમાં જ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application