જામનગરમાં નવા મકાનના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતા શ્રમિકનું મોત
જામનગરમાં નવા મકાનના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતા શ્રમિકનું મોત
April 30, 2026 06:56 AM
જામનગરમાં નવા મકાનના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતા શ્રમિકનું મોત
જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા એક શ્રમિક યુવાન રણજીતસાગર રોડ પર નવા મકાનના ત્રીજા માળે સ્લેબનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપશી જતા પડી જવાથી ઇજા સબબ મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરના રામેશ્ર્વરનગર ક્રિષ્નાપાર્ક શેરી નં. ૩માં રહેતા રમેશ ઉકાભાઇ ફટાણીયા (ઉ.વ.૪૬) નામનો યુવાન ગઇકાલે નવા બની રહેલા મકાનના ત્રીજા માળે સ્લેબનું કામ કરતા હતા એ દરમ્યાન અકસ્માતે તેમનો પગ લપશી જતા નીચે પડી જતા માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે નવાગામ ઘેડ વિમલ પાર્કમાં રહેતા બંશીલ ભીખુભાઇ ફટાણીયા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.