BREAKING NEWS

10 દિવસ... અંધારી ટનલ અને નવજીવન! નેપાળથી સામે આવી એક અદ્ભુત બચાવની કહાની

  • September 06, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં આવેલા કુદરતી આપત્તિના ૧૦ દિવસ બાદ પણ ચમત્કારિક રીતે જીવિત બહાર આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂરના કારણે સૂર્યપ્રકાશ અને ભોજન વગર ટનલમાં ફસાયેલા એક ચીની નાગરિકને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

નેપાળમાં તાજેતરમાં બરફ, પથ્થર અને કાદવના પ્રલયકારી પ્રવાહ (ફ્લેશ ફ્લડ) ના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક હોનારતમાં ૧,૩૦૦ થી વધુ લોકોના મોત થયા છે. આ બગાડેલી પરિસ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર દુર્ઘટનાના પૂરા ૧૦ દિવસ બાદ એટલે કે શનિવારે (૫ સપ્ટેમ્બર) નેપાળની એક ટનલમાંથી ચીનના નાગરિકને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે.


અપર ત્રિશૂળીએ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ઘટના
નેપાળી સેનાએ માહિતી આપતા જણાવ્યું કે બચાવ કરાયેલા ચીની નાગરિકનું નામ લુ હૈતાઓ (Lu Haitao) છે. તેમને અપર ત્રિશૂળી-૧ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ની ૨૨૫ મીટર લાંબી ટનલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, લુ હૈતાઓના શરીરે કોઈ દેખીતી ઈજાઓ ન હતી અને તેમના વાઇટલ્સ (આરોગ્ય સંબંધી માપદંડો) પણ સ્થિર હતા, જો કે લાંબો સમય અંદર રહેવાના કારણે તેમને હળવી હાઇપોથર્મિયા (શરીરનું તાપમાન ઘટવું) ની અસર જોવા મળી હતી.


​​​​​​​ટનલોમાં હજુ પણ ફસાયેલા છે લોકો
ગ્લેશિયર તૂટી પડવાની આ ઘટના ૨૬ ઓગસ્ટે બની હતી, જેના કારણે સત્તાવાળાઓનું માનવું છે કે વિવિધ ટનલોની અંદર આશરે ૯૦૦ જેટલા લોકો ફસાયેલા હોઈ શકે છે. આ આખી દુર્ઘટનામાં ટનલમાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યા હોય તેવા તેઓ ત્રીજા વ્યક્તિ છે. આ અગાઉ શુક્રવારે પણ બચાવકર્મીઓએ સમાન નદી પર આવેલા અપર ત્રિશૂળી ૩એ (Upper Trishuli 3A) હાઇડ્રોપાવર સ્ટેશનની અન્ય એક ટનલમાંથી બે લોકોને જીવિત બહાર કાઢ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application