પ. બંગાળના તારાપીઠ મંદિર પાસે હોટલમાં આગથી 6 જીવતા ભુંજાયા
પ. બંગાળના તારાપીઠ મંદિર પાસે હોટલમાં આગથી 6 જીવતા ભુંજાયા
August 17, 2026 10:57 AM
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલા તારાપીઠ મંદિર પાસેની એક હોટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી છ લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. આગ લાગી ત્યારે મહેમાનો સૂતા હતા. અચાનક જ ધુમાડો ભરાઈ જતા અનેક લોકોને અતિશય ગૂંગળામણ થઈ હતી. દુર્ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ શરુ કર્યો હતો.
સોમવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ હોટલમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. તે સમયે બધા મહેમાનો હોટલના રૂમમાં સૂતા હતા. ઘટનાની માહિતી મળતાં, બે ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા. જો કે આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.