નેગોશીએબલના ગુનામાં સજા થયેલ આરોપી ઝડપાયો

  • June 12, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસઓજીની ટુકડી દ્વારા બાતમીના આધારે નેગોશીએબલના ગુનામાં સજા થયેલ અને નાસતા ફરતા આરોપીને પકડી લેવામાં આવ્યો છે. 
એસઓજીના પીઆઇ ચૌધરી, પીએસઆઇ ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફને હકીકત મળેલ કે જામનગર કોર્ટ દ્વારા નેગોશીએબલના ગુનામાં તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો તે આરોપી ભાર્ગવ જગદીશ પારેખ રહે. જે.જે. ટાવર ફલેટ નં. ૫૦૨ વાળો હાલ નાઘેડીના પાટીયે ઉભો છે. આ બાતમીના આધારે એસઓજીની ટુકડીએ આરોપી ભાર્ગવને પકડી પાડયો હતો આરોપીને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે સીટી-બી ડીવીઝન પોલીસને સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application