BREAKING NEWS

બોઇંગના એ 'ગુપ્ત કોડ' જે એર ઇન્ડિયા પણ ઉકેલી શકી નહીં! ને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઇ

  • June 12, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાનનું ક્રેશ થયું તેને આજે એક વર્ષ પુરું થયું, આ ભયાનક અકસ્માતમાં એક યાત્રી સિવાય બાકીના 241 વ્યક્તિના મોત થયા હતા. ફેડરેશન ઑફ પાયલટ પ્રમુખને આ તપાસને લઇને સવાલ કર્યાં છે. એફઆઈબીના પ્રમુખ કેપ્ટન સી એસ રંધાવાએ કહ્યું કે બોઇંગ 787ના ક્રેશ થયાના 15 મિનિટ પહેલા ઓછામાં ઓછા 10 ઈન્ક્રિપ્ટેડ હેલ્થ મોટરિંગ કોડ મોકલ્યા હતા, જેને નજરઅંદાજ કરવામાં આવ્યા, રંધાવાએ શરૂઆતી તપાસમાં અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ઉતાવળમાં પાયલોટ આ કોડવર્ડને ધ્યાનમાં ન લેતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

બોઇંગ જ આ કોડ વાંચી શકે છે 

બોઇંગ સિસ્ટમ હજારો પેરામીટર્સ પર કોડ મોકલે છે, જેમાં એન્જિનની સ્પીડ, તેલનું પ્રેશર, હાઇડ્રોલિક પ્રેશરનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન એ ઊભો થયો છે કે, આ માહિતીને એઆઈબી દ્વારા કેમ સમજી શકાતી નથી. મંત્રાલયને લખીને મોકલવામાં આવ્યું છે કે આ ડેટાને ડીકોડ કરવામાં આવે.

દિલ્હીથી આવેલા Al વિમાનમાં હતો ફોલ્ટ: રંધાવા 

રાંધવાએ ઝાટકણી કાઢતા કહ્યું છે કે 10 મહિના સુધી દુર્ઘટનાથી બચેલા વ્યક્તિને પૂછપરછ કેમ કરવામાં ન આવી, તેમજ તેણે પાયલોટના ૯૧ વર્ષના પિતાને હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો. રંધાવાએ એમ પણ કહયું કે સિસ્ટમ દ્વારા અગાઉ ટેકનીકલ મિસ્ટેકની સુચના મળી હતી. તેને નંજર અંદાજ કરવામાં આવી હતી. બચેલા યાત્રીએ જોયુ હતુ કે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન એલર્ટ લાઈટ્સ થતી હતી, જે સમસ્યાનું સ્પષ્ટ એલર્ટ કહી શકાય.

રંધાવાએ સમજાવ્યું કે આ કોડ ફક્ત બોઇંગ દ્વારા જ ડીકોડ કરી શકાય છે, પરંતુ એર ઇન્ડિયા પણ તેમને વાંચી શકતી નથી. તેમણે સમજાવ્યું કે આ સિસ્ટમ એન્જિનની ગતિ, ફ્યુલનું દબાણ, હાઇડ્રોલિક દબાણ વગેરે સહિત સેંકડો પરિમાણો પર મેસેજો મોકલે છે. તેમણે પ્રશ્ન કર્યો, આ ડેટા એએઆઇબી સાથે કેમ શેર કરવામાં આવ્યો નથી? અમે મંત્રાલયને પત્ર લખીને માંગ કરી છે કે આ ટ્રાન્સક્રિપ્ટ તાત્કાલિક ડીકોડ કરવામાં આવે.

રંધાવાએ એએઆઇબીની ટીકા કરતા પૂછ્યું કે અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની દસ મહિના સુધી પૂછપરછ કેમ કરવામાં આવી નહીં. આ વિલંબ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે પાઇલટના 91 વર્ષીય પિતાને હેરાન કરવામાં આવ્યા હતા. રંધાવાએ આરોપ લગાવ્યો કે વિમાને એઆઇ171 તરીકે ઉડાન ભરતા પહેલા ટેકનિકલ ખામીની જાણ કરી હતી. તેમણે કહ્યું કે વિમાને દિલ્હીથી એઆઇ423 તરીકે ઉડાન ભરી હતી અને તેમાં સ્ટેબિલાઇઝર સંબંધિત સમસ્યા હતી. ત્યારબાદ, કેટલીક મોટરો બદલવામાં આવી અને વિમાનને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી હતી. રંધાવાએ કહ્યું, એકમાત્ર બચી ગયેલા મુસાફરે જોયું કે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટો ઝબકતી હતી. આ ઇલેક્ટ્રિકલ સમસ્યાનો સ્પષ્ટ સંકેત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application